ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી
ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી
વિચાર સૌંદર્ય અને વિચર વિશિષ્ટ બાનીમાં અભિવ્યકતિ એ કોઇ પણ કાવ્ય પ્રકારનાં અવિભાજ્ય અંગ ગણાય.પરંતુ એ બન્નેની સાથોસાથ સંગીતમયતા એ ગઝલનો પ્રાણ ગણાય છે.વિચાર અને એની રજૂઆત ભલે ને ગમે તેટલા વિશિષ્ટ હોય કે પ્રાણવાન હોય; પણ એ ગઝલ ગાઈ શકાઈ એવી ન હોય તો ગઝલ તરીકે સફળ થયેલી નહીં ગણાય.
ગઝલની બહેરો_છંદો અક્ષર મેળ નથી,કે નથી માત્રા મેળ.પરંતુ એ ઉચ્ચાર મેળ છે.એમ કહી શકાય. તેથી બહેરને વફાદાર રહી દરેક પંક્તિ ન રચાય તો એની સંગીતમયતા નષ્ટ નહીં થાય. તોયે તેમાં ખોટ તો જરૂર વર્તાય.એની સંગીત મયતાને કારણેજ ગઝલઉર્દુ,ફારસી,હિંદી,ગુજરાતીમાં પણ લોકપ્રિય થઈ છે.
ગઝલમાં વિચાર પરંપરિત હોય ,આખી ગઝલ એક વિચારને વિકાસ ગતિ આપતી રહે એવું હોય તો એ ગઝલ હૃદયંગમ લાગે ખરૂ,:એવું હોવું આવશ્યક નથીજ.ગઝલનો દરેક શે’ર પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.એ શે’રનો અર્થ પામવા માટે એ ગઝલના અન્ય કોઇ શેર પર એને આધાર રાખવો પડતો નથી.નઝમ કે કાવ્યમાં એવું હોવું જરૂરી છે,ગઝલમાં નહીં.
કોઈ પણ સાહિત્ય પ્રકાર હોય કે કલા હોય તેમાં પ્રયોગો થતા રહ્યા છે.થાયછે અને થતા રહેશે.એ આવકાર્ય અને આવશ્યક પણ છે.ગઝલના વિશ્વમાં પણ એટલુંજ સત્ય છે. પણ આજે ગઝલમાં ‘પ્રયોગ શિલતાની’ સાથે કયારેક ‘પ્રયોગખોરી’ પણ દેખા દે છે તે દુ:ખદ છે.એ ‘પ્રયોગખોરી”સાચી ગઝલની ઉન્નતિમાટે નુકસાનકારક છે.ગઝલ સમજવા ,માંણવા માટે જેમ ગઝલની પરંપરાનો થોડો ઘણો પરિચય હોવો જરૂરી છે તેથી વધુ ગઝલમાં નવા પ્રયોગો કરતા પહેલાં ગઝલની પરંપરાનો પુરતો પરિચય હોવો જરૂરી છે.રઘુપતિસહાય ‘ફિરાક’ગોરખપુરી એ ગઝલ અંગે કહ્યું છે કે
‘એક તેઝ છુરી હૈ ,જો ઉતરતી ચલી જાયે.’
‘અંજુમ’વાલોડી (ઈંગ્લેંડ)
એમના કાવ્ય સંગ્રહ ‘‘અજંપોત્સવ’માથી સાભાર.
1 Comments:
Top 10 Richest People In The World
Top 10 Universities in India
Happy Diwali Messages Quotes English
Happy Diwali Pictures
Happy New Year 2016 Messages
Happy New Year 2016 SMS
Happy New Year 2016 Images
Happy New Year 2016 Quotes
Happy New Year 2016 Wallpaper
Happy Diwali Free wallpaper
Happy Diwali HD Wallpaper
Happy Diwali SMS in Hindi
Happy Diwali Hindi SMS
Happy Diwali Funny Jokes
New Year Wishes
New Year messages
New Year Pictures
New Year Wallpapers
Post a Comment
<< Home