Saturday, March 10, 2007

અંજુમને અંજુમ_મોહમ્મદઅલી’વફા’

કાફલામાનો એક_રતિલાલ અનિલ


અજઁપોત્સવી રચનાઓ એક સાથે વાઁચવા મળી ત્યારે 1992 થી 1995 સુધી વર્તમાન ગઝલનો સ્થિર પાયો રચી આપનારી એક સામુહિક પ્રવુત્તિ ગુજરાત વ્યાપી ચાલી.તેના અદના સાથી રૂપે કહો કે કાફલામાઁના એક રૂપે સફર કરી હતી,તે આખો સમય ફરી જીવવા લાગ્યો હોવાનુઁ અનુભવ્યુઁ.ભાઈ ‘અંજુમ; તો 1942 પછી મળ્યા.અને સૌમ્ય પ્રકૃતિનો એ ખાનદાન જેવો મુશાયરાના મંચ પર છેલ્લા તબક્કામાઁ કયારેકજ આવ્યો હશે.પરંતુ એક આત્મીય સર્જક રૂપે અમારો સબન્ધ આજ સુધી રહ્યો છે.કોઇ જાતની જાહેરાત અને જૂથવાદના. સાહિત્ય જગતમાઁ એવા સાહિત્યાનુરાગી ,સાહિત્યના મૂગા અભ્યાસી ‘અંજુમે’મહા કવિ ઈકબાલના ફારસી ભાષામાઁ અને થોડા ઉર્દુ ભાષામાઁ રચાયેલા શેરોનો ‘ઈકબાલી મુકતકો’રૂપે અનુવાદ કર્યો તે સંગ્રહ રૂપે પ્રગટ થયો.એક દિવસ અચાનક દિલ્હીની સાહિત્ય અકાદમીનો પત્ર આવ્યો કે અકાદમી ‘ઈકબાલ મુકતકો’માટે અનુવાદકને અનુવાદ માટેનુઁ રૂપિયા દસ હજારનુઁ ઈનામ જાહેર કરેછે,ત્યારેમારા આનઁદાશ્ચર્યનો પાર ન રહ્યો.ખૂણે બેસી કોઇ માણસ નોઁધપાત્ર કામ કરે છે,એ જોનારુઁ કોઇકતો છેએ પ્રતીતિ પ્રસન્નકર બની.
સુરત જીલ્લાનાઁ વાલોડ ગામ વિશે યોગ્યજ કહેવાયુઁ છે કે ત્યાઁ વિશિષ્ટ માણસો પ્રગટ થતા રહ્યાછે..’અંજુમ’ સુરતની અંજુમને ઈસ્લામની હાઈસ્કૂલમાઁ શિક્ષક રૂપે જોડાયા ત્યારથી અમારી મૈત્રી ગાઢ થઈ.
એમના મોટા ભાઈ લઁડનની સરકારી હૉસ્પીટલમાઁ ડોકટર એટલે એમણે અંજુમને બ્રિટન તેડાવી લીધા.ત્યારથી પંત્રીસ વર્ષથી તેઓ ત્યાઁ છે.
’પ્યારા બાપુ’માસિકનો સઁપાદક હતો ત્યારે એમની પાઁસે પ્રેરક પ્રસંગો લખાવી પ્રગટ કરતો રહ્યો.મૂળે સર્જક પ્રકૃતિના ચિત્રકારો,ભાઈઓને એ એટલા ગમ્યા કે એક પાઠ્યપુસ્તકની કક્ષાની ‘અલ્લાહના બઁદા’પુસ્તિકા પ્રગટ કરી.બ્રિટનના કવિ લેખકો જલ્સા કરેછે,અહીઁના કવિ લેખકો ત્યાઁ આઁટા ફેરા મારે છે, પણ આ માણસ કે તેની હેસિયત વિશે અજાણ રહેવાનુઁ,અસ્પૃશ્યતાનુઁ સુખ અનુભવતા હશે.
આ સંગ્રહમાઁની મોટા ભાગની ગઝલો,મુકતકો 1957 સુધીના ગાળાના હશે.અમારા સંગ્રહ સાથે એનો સંગ્રહ પ્રગટ થવો જોઇતો હતો ,તો કાળન્યાય પણ મળ્યો હોત.જે માણસ હાઈકુ લખી શકે તે આધુનિક સાહિત્ય પ્રવાહોથી અજાણ તો નજ હોય.એમણે વિશ્વ સાહિત્યમાઁ આદર પામેલા સર્જકોનાઁ કેટલાક કાવ્યોનાઁ પોતાની પસન્દગીએ અનુવાદ કર્યો છે. પણ.પરંતુ ગઝલ માટે એમને અભ્યાસ અને પ્રતીતિએ પરઁપરા રિવાયત સ્વીકારી લીધી.
_રતિલાલ ‘અનિલ’(અજઁપોત્સવ,ની પ્રસ્તાવના માઁથી)
ચલો ત્યારે શ્રી ‘અંજુમ’ વાલોડીના ‘અજઁપોત્સવ”ને થોડો આપણે પણ માણી લઈએ.
(જનાબ અંજુમ વાલોડી સાહેબના આ ગ્રઁથની પ્રથમ આવૃતિ માર્ચ 2000 માઁ પ્રગટ થઈ છે.એમનુ યુ.કે.નુઁ સરનામુઁ એમા નીચે જણાવેલ છે.
Anjum Valody
4 Woodlands Gardens,
Woodford new road,’
Walthamstow
London E 17 3Ps
Enagaland
-
1
કત્બા_કબરલેખ

ભિખારીની કબર

નામ પર એના મને દુનિયાની દોલત તો મળી
કોઇ અપાવીદો હવે જન્નત ખુદાના નામ પર.
2
બાઁગીની કબર

રહ્યુ’તુઁ જોર ના મુજ ફેફસામાઁ,
હવે આરામ છે અલ્લહો અકબર!

ત્રણ હાઈકુ
1
રોજ પ્રભાતે
કમળ પૂષ્પ સંગે
ભમરો ખીલે.
2
અહીઁ શિયાળે
બરફ કયારીમાઁ
સ્નો મેન ઊગે.
3
બરફ વર્ષા
વાદળ પર લોકો
પગલાઁ માઁડે.

ગઝલો
1
ભીંત પર
*
જોઈ લઊઁછુઁ સ્વપ્નને સાકાર ભીંત પર
છે એટલો તો મારો અખત્યાર ભીંત પર.

ખાલે કરી ગયાછે વસાહત કરોળિયા
જાળાઁની રહી ગઈ ચે ફકત હાર ભીંત પર.

હળવે રહીને મૂકજો ચિત્રિ ભવિષ્યનાઁ
વીતી ગય્ર્લા કાળનો છે ભાર ભીંત પર.

માન્યુઁ હતુઁ પ્રલયમાઁ સહારો તો જોઈશે
દોરી’તી મેઁ એટલે પતવાર ભીંત પર.

વસવાટ આપણો છે અહીઁ એક ભીંત નીચે
છે તો યે કેમ દ્રેષની તલવાર ભીઁત પર.

મિત્રો તો છે પરંતુ ખરી મિત્રતા નથી
આધાર આપણો છે નિરાધાર ભીંત પર.

જેને મળી શક્યુઁ ન કોઇ સ્થાન પત્રમાઁ
જોવા મળેછે એવા સમાચાર ભીઁત પર.

-‘અંજુમ’વાલોડી

ડોકિયુઁ:(એક મિત્રે 1989મા પાકિસ્તાન ની મુલાકાત પછી લાહોર એર પોર્ટના સોચાલયની ભીઁતે લખેલ એક ભીઁત પત્ર શેર ના રૂપે લખેલુઁ સંભળાવેલુઁ
’ન બાપ શરીફ ન બેટા શરીફ નવાઝ શરીફ’નવાઝ શરીફ શાયદ તે વખતે પાકીસ્તના વડા પ્ધાન હતા_વફા)

તોય ચાલશે

ઠરવાને કોઇ થામ હશે તો ય ચાલશે
ખંડેરમાઁ મુકામ હશે તોય ચાલશે.

કહેતાઁનથી કે આવો ને આવી ગળે મળો
બસ દૂરથી સલામ હશે તોય ચાલશે

આપે ન તુઁ ભરીને ભલે કે મને હવે
સામે જો ખાલી જામ હશે તોય ચાલશે.

પેદા કરી લીધી છે કરમત મેઁ હાથમાઁ
મોઢે અગર લગામ હશે તોય ચાલશે.

આવે ભલે ન હાથમાઁ એક્કો કે બાદશાહ
રાણી કો ગુલામ હશે તોય ચાલશે.

‘હીલો’કરી હલાલ કરી લઈશ હુઁ બધુઁ
દેવુઁ છે કૈઁ? હરામ હશે તોય ચાલશે.

બટવો અગર ભર્યો રહે સીતાનો દેશમાઁ
પરદેશમાઁ જો રામ હશે તોય ચાલશે.

જો આવતો હો અંત વ્યથાઓની રાતની
એક ધૂઁધળી સવાર હશે તોય ચાલશે.

_‘અંજુમ’વાલોડી

થોડા શેરો

‘અંજુમ’ બળી રહ્યુઁ છે મારુમ રોમ રોમ
નીરોન હાથમાઁ શુઁ હજી સિતાર છે.
***
હુઁ ઉજવી તો રહ્યો છુઁ અજઁપનો ઉત્સવ
ન તો ય જંપશે આ ઉગ્રતા તો શુઁ થાશે?
*
અકળાઈને બપોરના સૂરજના તાપથી
પડછાયો મારો મારા પગોમાઁ પડી ગયો.
*
કોદાળી પાવડા લઈ આવ્યા હતા ઘણા
ખોડી શક્યુઁ ન કોઇ તોયે જુલ્મની કબર
*
જો નહીઁ સંભળાય સર્જક નો અવાજ
તો પછી આ ગુઁબજો શા કામના?
*
હવે ગમતી નથી કડવી વાત કોઇને
કે ચસ્કો જીભનો લાગ્યો છે કાનનો હવે!
*
પરિચિત હોય જે પગલાના સ્વાસની’અંજુમ’
તે બારણાને ટકોરાની પણ જરૂર નથી.
*
ભૂલા પડ્યા વિના ભટકવાનુઁ હોય તો
ચાલ્યા કરુઁ જો તને મળવાનુઁ હોય તો!
*
પડઘાતો રહેછે કાનમાઁ દૂનિયા બધીને શોર
તારો અવાજ એમાઁ ભલે તો ગઝલ કહુઁ.
*
જુદો બધાથી પડુઁ છુઁ બધાની સાથે
કે મારો માર્ગ હુઁ કાપુઁ છુઁ કાફલા સાથે.

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter