Wednesday, June 21, 2006

ગઝલ સમ્રાટ ‘શયદા’_ -જયોતીન્દ્ર હ.દવે

ગઝલ સમ્રાટ ‘શયદા’_ -જયોતીન્દ્ર હ.દવે


ભાઈ શયદાને લોકોએ ગઝલસમ્રાટનુઁ બિરૂદ આપ્યુઁ છે.આજે સમ્રાટોનો યુગતો આથમી ગયો છે,ત્યારે કોઈને વિચિત્ર લાગે..પરંતુ અત્યારના ગઝલકારોમાઁ એમનુઁ સ્થાન અગ્ર પદે છે.એ નિર્વિવાદ છે.
એમની લોક પ્રિયતાનુઁ કારણ એમની ગઝલો ઉત્તમ કોટિની હોય છે,એજ માત્ર નથી.એમણે ગઝલોને’લોકાભિમુખ ‘ ને લોકોને ‘ગઝલાભિમુખ’ બનાવવા માટે સહુથી વધારે પરિશ્ર્મ કર્યોછે.કોઈ પણ લેખક નુ સ્થાન નક્કી કરતાઁ એની ક્રુતિઓની ગુણવત્તા ઉપરાંત ,એના જમાનાના લેખક તેમજ તે પછીની પેઢીના લેખકો પર એની કેવી અસર પડીછે,અને કેટ્લી અસર પડી છે,એનો વિચાર કરવો ઘટેછે.ભાઈ શયદાની અસર આધુનિક ગઝ્લકરો પર કેટલા પ્રબળ પ્રમાણ મા પડી છે તે સહુ કોઈ જાણેછે.
આ સંગ્રહમા પ્રસિધ્ધ થયેલી એમની ગઝલો અત્યાર અગાઉ બહુ લોકપ્રિય થઈ ચુકી છે.એ કેવળ લોક પ્રિય નહીઁ,પરંતુ વિદ્વત્પ્રિય પણ થવાને યોગ્ય છે,એમ એ વાંચનાર ને ખાત્રી થયા વિના નહીઁ રહે.
ભાષાની સરળતા ,ભાવોની સુકુમારતા,વિચારની ગહનતાએ સૌનો ભાઈ શયદાની બાનીમાઁ એક સાથે સમાવેશ થયેલો છે.ઈશ્કે મિજાજી ને ઈશ્કે હકીકી_રતિ અને ભક્તિ બન્નેના દ્રષ્ટાંત એમની ક્રુતિઓમા મળેછે.
પરંતુ એમનો સામાન્ય ઝોક ઈશ્કે મિજાજી કરતાઁ ઈશ્કે હકીકીએ તરફ વધુ છે.
આ સંગ્રહની એ ગઝલ “અમારા વિશે વિશ્વ આખુઁ રમે છે,અમારુઁજ મસ્તકા અમોને નમે છે.
अहँव्रहस्मि એ વેદંતના મહા કાવ્યાના વિવરણ સમી છે.અને શંક્રચાર્યના शिवेहम शीवोहम એ પ્રસિધ્ધ સ્તોત્રનુઁ સ્મરણ કરાવે છે. સાગર તરંગ થઈને સાગરમહીઁ મળીજા, શાને કરે તરંગો સાગર તરી જવાના? એ પહેલી દ્રષ્ટિએ શબ્દ રમત જેવી લાગતી.પરંતુ ગુઢાર્થવાળી પંકતિ પણ જરા જુદા સઁદર્ભમાઁ શ્રી શંકરાચાર્યે પ્રયોજેલી સમુદ્રને તરંગ બની ઉપમાનુ સ્મરણ કરાવેછે.
એમણે યોજેલી ઉપમા ,દ્રષ્ટાંત ,અર્થાંતર ન્યાસ,વિરોધાભાસ,અપહનુતિ જેવા અલંકારો કેવા સ્વભાવિક છતાઁ ચમતક્રુતિપૂર્ણ લાગેછે.તે દર્શાવવ સારુઁ અન્ય ગઝલોમામ્ની થોડીક પંક્તિઓ ટાંકી બતાવવાની લાલચ જગાને આભાવે જતી કરવી પડેછે.
ભાઈ શયદાની શૈલીનો પ્રવાહ વિનાવરોધ વહ્યે જાયછે.પદ્યરચનામાઁ એ સિધ્ધ હસ્ત કસબી છે.કેટ્લીયે પંકતિઓ પદ્ય રચનાની લગોલગ આવેછે,છતાઁયે પદ્યરચના લય ને લહેકો જાળવી રાખે તે જોવા જેવુઁ છે.એમણે પોતાની ગઝલ માટે કહ્યુઁ છે:
’બિચારા વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે,
ગઝલ’ શયદાની ‘ સાવ સાદી છે,પણછે મનન માટે.
એ સાચુઁછે એમની ગઝલો ,ભાષા ને રચનાની દ્રષ્ટિએ ‘સાવ સાદી છે,પણ વિચારની દ્રષ્ટિએ મનન કરવા યોગ્યછે.કેવળ મનન કરવ માટે જ નથી ,હ્રદયને આલ્હાદ આપવા માટે પણછે,એટલુઁ વાંચકે પોતાના તરફથી ઉમેરવુઁ પડશે.
એક એમની ઈચ્છ_
નહીઁતો માનવતાના મોઁઘા મંત્ર દે,
વિશ્વ શરણે થાય એવુઁ તંત્ર દે.

-જયોતીન્દ્ર હ.દવે

(ગઝ્લ સમ્રાટ_શયદાનો ગઝલ ગુલઝાર-8)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter