Sunday, June 04, 2006

પિતાશ્રી ના અવસાન પર - જનાબ આદિલ મનસુરી

એમણે ચાલીસ રાત્રીઓ સુધી આંખનુ મટકુ ન માર્યુ

સ્વપનાઓ ને ઊઁટો ઉપર લાદીને

રાત્રીના રણો મા ચાલતા રહ્યા

ચાઁદની ની ચિતાઓમા સળગતા રહ્યા

ટેબલ પર

કાચના પ્યાલામા મુકેલા

દાંતો હસતા રહ્યા

કાળા ચશ્માના કાચો ના પરદા પાછળથી

મોતિયાની કળી પોતાનુ મસ્તક ઉઁચુ કરે છે

આઁખોમા લાચારી સ્મિત કરી રહી હતી

રૂહના હાથો

સોઈ ની અણીથી ચારણી થૈ ગયા

ઈચ્છઓના ના દીપકો

શરીરમા બુઝાઈ ગયા

નીલા જળ ના પારદર્શક પડછયા

ક્ષણ ક્ષણ બનીને શરીરમા ઉતરવા લાગ્યા

ઘરના છતમા જડેલા

દસ સિતારાના પડછાયાના નીચે

પ્રતિબિંબો ધુઁધળા થૈ ગયા

પ્રતિબિંબો મુરઝાઈ ગયા.

જનાબા આદિલ મનસુરી સાહેબની ઉર્દુ આઝાદ નઝ્મનો અનુવાદ

(એમના ઉર્દુ દીવાન હશ્ર્કી સુબહે દરખશાઁ હો....માથી પુષ્થ 36-37)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter