Tuesday, June 06, 2006

કાવ્યચર્ચા-ડો.સુરેશ હ.જોષી

સર્જક દ્રૈપાયન બનીને પોતાની ચેતનાને નિર્લેપ રાખે શકે નહીઁ.એની પહેલાની –પાંચ કે પાંચસો કે પાઁચ હજાર વર્ષ પહેલાના –સર્જોકોની સર્જન પ્રક્રિયા સાથે એ પોતાને સંકળાયેલો જુએછે.એ સમસ્તનો એ વારસો ભોગવેછે.પણ એ વારસો ભોગવવાની એની શકિત અને રીતિ એની સર્જક તરીકેની વિશિષ્તા અને મર્યાદાને છ્તી કરેછે.એલિયતને મતે કવિ કેવી રીતે આ વારસો ભોગવેછે,પોતાની ક્રુતિમા બીજાની સામગ્રી કેવી રીતે ઉછીની લઈને વાપરે છે એ પણ એના કવિત્વની એક મહત્વની કસોટી છે.કાચા કવિઓ નરી અનુક્રુતિ કરી છુટે છે,પાકા કવિઓખૂબીથી ચોરેછે,કુકવિઓ જે ઉછીનુ લે છે,તેને વિક્રુત કરી મુકેછે, અને સુકવિઓ જે ઉછીનુ લેછે તેમાથી એથી વધુ સારી ,અથવા વધુ સારી નહીઁ તો કઁઈક વિશિષ્ટ સ્વરુપની,ક્રુતિ નુ નિર્માણ કરેછે.
(કાવ્યચર્ચા)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter