ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’
ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’
હકથી વધારે લેશ અમારે ન જોઈએ.
હક થાય છે તે આપો વધારે ન જોઈએ.
મઝધારમાઁ થયુઁ તે વાત રહી ગઈ,
તૂફાનનો અજઁપો કિનારે ન જોઈએ.
હૈયામાઁ એનો વાસ જો થાયે તો ઠીક છે,
અલ્લહનો અવાજ મિનારે ન જોઈએ.
કોઈ પડયો ન ફેર મરણના સ્વભાવમાઁ
ટાણે કટાણે આવેછે જયારે ન જોઈએ.
સહેલાઈ થી જે પાળી શકો એજ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.
હિમ્મત અને ઈરાદાઓ કમજોર થઈ જસે,
મંઝિલની કોઈ વાત ઉતારે ન જોઈએ.
‘આઝાદ’ જિન્દગીની મઝા ઔર છે દોસ્ત,
આ જિન્દગી પરાયે સહારે ન જોઈએ.
_કુતુબ’આઝાદ’
(અલ્લાહનો આવાજ તો હર જગા થશે,
હો વસંતકે પાનખર લાઈલાહા ઈલ્લલ્લાહ.
પહાડ,સહરા અને સમુદ્રના મોજાઁ ઉપર
મને છે હુકમે અઝાન લાઈલાહા ઈલ્લલ્લાહ.
આ ‘આઝાદ’સા.ના ત્રીજા શેર નો જવાબ છે._વફા )
0 Comments:
Post a Comment
<< Home