બદલવી પડશે*સ્વ.અમીન આઝાદ
બદલવી પડશે*સ્વ.અમીન આઝાદ
સંકુચિત જે હશે સીમાઓ, બદલવી પડશે.
દૂર મંઝિલ છે,તો દૂનિયાઓ બદલવી પડશે.
વચ્ચે રજની ન રહે એમ ઉષાને મળશુઁ,
એટલે અ બધી સન્ધ્યાઓ બદલવી પડશે.
વાસના વાસ ન ફેલાવે ,કરી વાસ એમાઁ,
દ્રષ્ટિને દ્રષ્ટિની કક્ષાઓ બદલવી પડશે.
ન રહે કોઈનુઁ મઁદિર ન રહે કોઈની મસ્જિદ,
‘ધર્મ’ ને ધર્મની શાખાઓ બદલવી પડશે.
થઈ ગયો એટલો ઈંસાન છે વિદ્વાન મહાન,
હવે શૈતાનની ચર્ચાઓ બદલવી પડશે.
ચિત્ર છુઁ પૂર્ણ કલાકારનુઁ પણ કહેવા દો-
ચિત્રમાઁની ઘણી રેખાઓ બદલવી પડશે.
આખરે એજ રહી વાત નિરાશાની ‘અમીન’
કોઈ કહેતુઁ હતુઁ ‘આશાઓ’બદલવી પડશે.
*સ્વ.અમીન આઝાદ
0 Comments:
Post a Comment
<< Home