Thursday, July 06, 2006

દ્રિધા__જાવેદ અખ્તર

દ્રિધા__જાવેદ અખ્તર


આપણે ઉભય જે અક્ષર હતાઁ
આપણુઁ એક દિવસ મિલન થયુઁ
એક શબ્દ અસ્તિત્વમા આવ્યો
અને આપણે એક અર્થ પ્રાપ્ત કર્યો
પછી જાણે શી વિતા આપણા ઉપર પડી
અને હવે એ પરિસ્થિતિ છે કે
તુ એક અક્ષર છે
એક ખાના મા
વચમા
કેટલીયે ક્ષણોના ખાના ખાલી છે
ફરીથી કોઇ શબ્દ બને
અને આપણે ઉભય કોઇ અર્થ પ્રાપ્ત કરીયેઁ
એવુ થઈ પણ શકે છે
પરંતુ
વિચારવુઁ રહ્યુઁ
કે પેલા ખાલી ખાનાઓમા આપણે ભરવુઁ શુઁ ?


_જાવેદ અખ્તર


(બોલીવુડના મશહૂર શાયર જાવેદ અખતરની આઝાદ નઝમ નો અનુવાદ_વફા.)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter