મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી
મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી
ફૂલો ખીલ્યાઁ કે ખાર? મને કઁઈ ખબરનથી
કોની હતી બહાર ? મને કઁઈ ખબરનથી
પાછળ પ્રવાસીઓમાઁ ઘણા મિત્રો પણ હાતા,
કોણે કર્યો પ્રહાર ? મને કઁઈ ખબરનથી
ઝુલ્ફોનો અન્ધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કઁઈ ખબરનથી
તેઓ પધારશે કે પછી મોત આવશે,
બતલાવ ઈંતેઝાર ! મને કઁઈ ખબરનથી
આપી ગયા જે સાંત્વન ‘આદિલ’ના દર્દને,
કોના હતા વિચાર? મને કઁઈ ખબરનથી
__________’આદિલ’મનસુરી
(પગરવ-24)
0 Comments:
Post a Comment
<< Home