Sunday, September 03, 2006

મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી

મને કઁઈ ખબરનથી._ આદિલ મનસુરી

ફૂલો ખીલ્યાઁ કે ખાર? મને કઁઈ ખબરનથી
કોની હતી બહાર ? મને કઁઈ ખબરનથી


પાછળ પ્રવાસીઓમાઁ ઘણા મિત્રો પણ હાતા,
કોણે કર્યો પ્રહાર ? મને કઁઈ ખબરનથી


ઝુલ્ફોનો અન્ધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કઁઈ ખબરનથી


તેઓ પધારશે કે પછી મોત આવશે,
બતલાવ ઈંતેઝાર ! મને કઁઈ ખબરનથી


આપી ગયા જે સાંત્વન ‘આદિલ’ના દર્દને,
કોના હતા વિચાર? મને કઁઈ ખબરનથી


__________’આદિલ’મનસુરી
(પગરવ-24)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter