Tuesday, January 23, 2007

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

માનવી

મજબૂરી એને કહેવીકે અંતરની આસ્થા?
આશાનુઁ એક એક કિરણ જ્યારે કે વિલાય
જઇને હતાશા શોધો છે અલ્લહની પનાહ
જ્યારે કે એને કાઁઈ નથી સૂઝતો ઉપાય

નિરાશ્રિત

બન્યુઁ શુઁ એવુઁ અંતે કે વસંત ની સૌરભ
ન જાણે કેમ ચમનથી કરી ગઈ હિજરત?
કોઇની યાદમાઁ નીકળી પડી એ દીવાની:
કે રાસ આવી નહીઁ રૂપ_રંગ ની સોબત?

_મસ્તહબીબ સારોદી

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter