Wednesday, January 10, 2007

મસ્તહબીબ સારોદીઅને એમની હઝલો.

મસ્તહબીબ સારોદી અને એમની હઝલો.

વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’

મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાઁ એ હતો
મયખાનુઁ એ ત્યાગી ગયો મય પણ પીધા વગર

*’મસ્તહબીબ’સારોદી

ઠેઠ રાઁદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મઁડળથી તે મહા ગુજરાત ગઝલ મઁડળની વ્યાપક પ્રવુત્તિના સમય સુધી ગઝલ પ્રવુત્તિ સાથે રહેલ મસ્ત હબીબ સાચેજ મયનો પ્યાલો હાથમાઁ યે લીધા વિના મયખાનુમ છોડી ગયા.વાસ્તવમાઁ મસ્તહબીબ સારોદી માત્ર શાયરજ નહીઁ ’ઉસ્તાદ’પણ હતા.છઁદો પરનો કાબુ,શાસ્ત્રીય સમજ ,તે ઉપરાઁત શાયરીના અભ્યાસ, અને સમકાલીન ઉર્દૂ શાયરીના અભ્યાસના કારણે એમની સજ્જતા ઉસ્તાદનીજ રહી. એમણે ઘણા શાયરોને ગઝલનુઁ શિક્ષણ અને માર્ગદર્શન આપ્યુઁ.બેકાર(મ.વ્યઁગ શાયર)જેવાને પણ કહી શકતા કે વ્યંગ રચનાઓ /હઝલ અત્યારે ઉર્દૂમાઁ કયે તબક્કે પહોંચી છે.એ વિદ્યાભ્યાસે માણસનો શિક્ષણ પછીનાઁ રસનો વિષય સાહિત્ય શાયરીનો હતો.એમનુઁ માર્ગ દર્શન મેળવી ગઝલ લખવાની શરૂઆત કરનાર ઘણા શાયરો વિદ્યમાન છે.તેમાનાઁ એક આચાર્ય ‘મસ્ત મંગેરા’અને ‘રાઝ’નવસારવી નોઁધનીય છે.કોઈ પ્રવુત્તિ વિકસે ત્યારે તેમાઁ મસ્ત હબીબ સારોદી જેવા પરદા પાછળના માર્ગદર્શનનો ફાળો અવશ્ય હોયછે.
ઉર્દૂ ગઝલ થી માઁડીને ગુજરાતી ગઝલમાઁ ઉસ્તાદ અને ઈસ્લાહ/શુધ્ધિની પરઁપરા રહીજ છે. અલબત્ત નવી પેઢી પોતાની રીતેજ આગળ વધેછે.પણ જો તોયે ચર્ચા અને માર્ગદર્શન સ્વીકારે તો તેમની શાયરીમા નિખાર આવ્યા વિના રહે નહીઁ.’તુલસી ઈસ સઁસારમેઁ’ વ્યઁગ રચનાઓનો એમનો એક નાનકડો સઁગ્રહ છે. યુરોપિયનોમાઁજ નહીઁ મુસ્લિમોમાઁ પણ કબર પર ઓળખ ની તખ્તી હોય છે.ખાસ કરીને પાકી કબર પર.મર્હુમની ટુઁકી પિછાન હોય તો વળી કોઈ કાવ્ય પઁક્તિ પણ કોતરાવેલી હોય.એ મોટે ભાગે ગુણ દર્શી પિછાન હોયછે.,તે મર્હુમની એક બાજુજ પ્રગટ કરે એ દેખીતુઁ છે.
હિટલરની કબર બની હોત તો તેની ઓળખ એક મહાન માણસ તરીકેજ અપાઈ હોત,પણ આપણે જાણીએ છીએ કે એવાઁ જૂઠાણા એક પરઁપરા બની ગઈ છે. એમાઁ ભદ્ર દર્શન હશે,પણ વાસ્તવિકતા તો નહીઁજ .ધારો કે એક શિક્ષક અવસાન પામ્યો છે.સાવ ગરીબ હાલતમાઁ,તો તેની કબર પર કેવો લેખ હોય ?મસ્ત હબીબ શિક્ષક અને તે પછી હેડમાસ્તર બન્યા .આમ પણ શિક્ષકોથી વિઁટળાયેલા રહેતા.શિક્ષકોની હાલતથી અને ગામડાન શિક્ષકોથી સુપરિચિત હતા.
તો જૂઓ એક ચોઁકાવનારો પરિચય એક ચીકણા શિક્ષકનો.(રતિલાલ’અનિલ’_મોજ મસ્તીમાઁથી)

(કત્બા=કબર ના શીલા લેખો)

એમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાન એ શિક્ષક હતા

એમને ભક્ષી ગઈ ‘ઈંન્સાનિયત’
વેદિયા નવ્વાણુઁ નહીઁ પણ સો ટકા.

ખેત મજૂરની કબર

જિઁદગીભર જેણે મજદૂરી કરી
તેજ અઁહી સુતોછે ગેમલ ચાવડો
વારસો પણ કેટલો મૂકઈ ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.

મસ્જીદના મુતવલ્લી(ટ્રસ્ટી)ની કબર:

આ તો મુતવલ્લી હતા મસ્જીદના,
એ મર્યા કેવુઁ કરી શાણપણ
નામ પર પોતાના ખુદ કરતા ગયા-
એકલી મિલ્કત નહીઁ મસ્જિદ પણ

પીર સાહેબની કબર:

એ દુઆ પાણીમાઁ ફૂઁકીને વેચતા,
એમના ગ્રાહક હતા દુ;ખિયાજનો
જ્ઞાન તો ના કાના માતરનુઁ હતુઁ
એમનો ધઁધો હતો તાવીજનો.

બાંગી સા,બની કબર:

કૂચ દુનિયાથી કરીજો એમણે
થઈ ગયા કુકર્મ એમના છતા!
જ્યારે બાઁગી સા’બ મસ્જીદમાઁ હતા
બૂટ શુઁ ?ઘડિયાળ ચોરાતાઁ હતા


હકીમ સાહેબની કબર:

આ કબરમાઁ સુતા છે નામાઁકિત હકીમ
એમણે હીકમતમાઁ નોખી કરામત આદરી
એમની હિકમતનેજ આભારી છે આ
જેટલી દેખાય છે આપને કબરો નવી

પ્રોફેસરની કબર:

આ તો પ્રોફેસર હતા વિજ્ઞાનના,
રાચતા,તા નિત્ય એ વિજ્ઞાનમાઁ
ચન્દ્ર પર એમને જઈ વસવુઁ હતુઁ
પણ સુતા આવી આ કબ્રસ્તાનમાઁ.

પોતાની (મસ્તહબીબ સારોદીની) કબર
(કવિની કબર)

આ કબ્ર છે મુલ્લા રમૂજીની ,હતા એ પણ કવિ,
એમણે જનતાને ખુશ કરવા કવિતાઓ લખી
પણ એમના જીવન કવન પર લોકમાઁ મતભેદ છે
કો,ક કે,.છે જન્નતી કોઈ કે, છે દોઝખી

*મુલ્લાઁ રમુજી(મસ્ત હબીબ સારોદી)

1 Comments:

At 24 January, 2007, Anonymous Anonymous said...

Really enjoyed all the HAZALs please write more. Rasheeda
(Shabd setu, Toronto)

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter