Monday, January 29, 2007

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવી

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવી

અભિનઁદન

'ધી સુરતી સુન્ની વહોરા સોસાયટીના સિનિયર પદાધિકારી અને વહોરા વડીલ જનાબ મોહઁદભાઈ યુસુફ પટેલ સા.(કોસઁબા,તા:મોટામિયાઁ માઁગરોલ જિલ્લા:સુરત)ને તેમની કવ્ય કૃતિ’કેફિયત’ બદલ હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા નડિયાદ દ્વારા રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડ' માટે પસઁદ કરમા આવેલ છે.તે બદલ એમને હાર્દિક અભિનઁદન આપતાઁ આનઁદની લાગણી અનુભવીએઁ છીએઁ.જ.મોહમ્મદભાઈની કાવ્ય રચનાઓમાઁ અનુભવનો આધાર અને ચિઁતનની ચમક હોવાની સાથે ખૂબસુરત શાબ્દિક શૃઁગાર પણ છે.તેઓ હવે પ્છી પણ ઉત્તમ સહિત્ય સર્જન કરતા રહે એવી અભ્યર્થના સાથે’વહોરાસમાચાર’સુરત ના માધ્યમથી અભિનઁદન.
(વહોરાસમાચાર,સુરતના સૌજન્યથી, સાભાર)જાન્યુઆરી:2007

‘.નયા માર્ગ’ બાબરી મસ્જીદ વિશે એક સુઁદર નઝમ જાન્યુઆરી’93 ના અઁકમાઁ ‘અગમ’ કોસઁબાના નામે છપાયેલી વાઁચી,આ કવિ વિશે જાણકારી મેળવવા મેઁ જોગાનુજોગ‘અગમ’નેજ પૂછયુઁ,એમણે બહુ નમ્રતાથી કહ્યુઁ કે એ પોતેજ એ ઉપનામે નઝમો, ગઝલો અને મુકતકો લખે છે.
મને આશ્ચર્ય થયુઁ. આ ભાઈ વર્ષોથી અમારી સંસ્થા ‘ધી સુન્ની વ્હોરા મુસ્લીમ એજયુકેશન સોસાયટી,સુરત’ની વ્યવસ્થાપક સમિતિમાઁ સાથે કામ કરેછે. છતાઁ કોઇ દિવસ પોતે કવિ હોવા વિશે કોઇને જાણ થવા દીધી નથી.મને એ જાણ થઈ અને અમારી મિત્રતામાઁ વધારો થયો..ત્યાર પછી મારા વારઁવારના આગ્રહના કારણે એમણે મુકતક સંગ્રહ જોવા આપ્યો.મને એમના મુકતકો ગમ્યાઁ. અને તેમાઁથી કેટલાક મેઁ ‘વહોરા સમાચાર’માસિકમાઁ પ્રગટ કર્યા.એ સિવાય એક ગઝલ એમની ડો.રશીદ મીરના’ધબક’ માસિકમાઁ પ્રગટ થયેલી એવુઁ જાણવા મળ્યુઁ ,બસ એ સિવાય આ ગઝલકારે કોઇ મુશાયેરામાઁ ભાગ લીધો નથી,કે કોઇ અખ્બારમાઁ કૃતિ પ્રગટ કરવા મોકલી નથી.અને વર્ષોથી પોતાની સાહિત્ય સાધના ચાલુ રાખીછે.આમ તો લગભગ આઠ જેટલા સંગ્રહો જુદા-જુદા વિષયો પર ,કાવ્ય,નઝમસંગ્રહ :ગઝલનુમા ગઝલ સંગ્રહ,સમાન રદીફ કાફિયા વાળો મુકતક સંગ્રહ ,ઐતાહાસિક પુરુષોની કેફિયત વાળો મુકતક સંગ્રહ,નઝમ સંગ્રહ અને ગઝલ સંગ્રહ લખાયેલ છે.તે પૈકી આ એક ગઝલ અને મુકતક સંગ્રહ અમારા ભારે આગ્રહના કારણે એમની પાંસેથી મેળવી પ્રગટ કરવા શક્તિમાન થયા છીએ.
આમ તો ‘અગમ’ ભાઇ મોટા ગજાન સામાજિક કાર્યકર છે.ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.રાજકિય રીતે પણ આગળ પડતી વ્યક્તિઓમાઁ ગણના થાયછે.સુરત જિલ્લા પંચાયતના ઉપ_પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.ભરચક રાજકિય અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એમણે વિપુલ પ્રમાણમાઁ લેખન કાર્યા કર્યુઁ છે.તે અભિનઁદનિય છે.કોઇ પણ જાતના દેખાડા વગર ,પ્રગટ થવાની ઇચ્છા રાખ્યા વગર ,મંચ પર પહોઁચ્યા વિના કે અખબારમાઁ પ્રસિધ્ધિ માટે ગયા વિના સાહિત્ય સર્જન કર્યુઁ છે.એટલે અમારી સંસ્થાએ આવા પ્રકારના સાહિત્યકારોનો સંગ્રહ પ્રગટ કરવાનુઁ વિચાર્યુઁ.અને આ કાવ્ય સઁગ્રહ કેશ_કલાપ(ગઝલ અને મુકતક સંગ્રહ )પ્રગટ કરી આમ જનતાની સેવામા સાદર રજુ કરીએઁ છીએઁ.

____મસ્તમંગેરા(તંત્રી ‘વહોરા સમાચાર,સુરત. નિવૃત આચાર્ય આલીપુર હાઈસ્કૂલ ,આલીપુર)
____’જય’નાયક
(‘કેશ_કલાપ ‘ ની પ્રકાશકીય નોઁધ માઁથી)

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવીના થોડા મુકતકો અને ગઝલ ‘કેશ_કલાપ’માઁથી

લાખમાઁ એકજ ‘અગમ’ હોવા છતાઁ
ઓળખાયો છે,એ પરખાયો નથી
***********************
દોડી ગયો

સેતુઓ સઁબધના તોડી ગયો,
સાજ સામગ્રી ઘરે છોડી ગયો

કાવ્ય મઁડીમાઁ ન જામી શખ ત્યાઁ
કવન માથે લઈ ‘અગમ’ દોડીગયો

અર્પણ

ગઝલ રોપીને ગુર્જરીના ચોકમાઁ
સર્વ એવા ગઝલગોત્રી પિતૃનુઁ તર્પણ કરુઁ

ગઝલગોત્રી પૂર્વજોના ઋણ ચઢાવી મસ્તકે
ગઝલના સૂરજમુખી ચરણે ધરી અર્પણ કરુઁ

ગઝલ

સાત નભની પાર ઊડ્જે પાઁખ વિસ્તારી ગઝલ
સાત સાગરના રતનની બઁધજે ભારી ગઝલ

દૂરના તારા પ્રવાસો થાય ના હિજરત ‘અગમ’
સાત બઁદરે રાખજે તુ સાખ પણ તારી ગઝલ

ગઝલ

કેટલા શાયર થયા તારાજ આભારી ગઝલ
કેટલા ગયક થયા તારજ પ્રતિહારી ગઝલ

તેઁ કૃપા દ્રષ્ટિ પ્રસારી સર્વે એ રસિયા ઉપર
એ રસિકોએ વધારી શાન લલકારી ગઝલ

ચિત્કાર

ઉપેક્ષિત ઋગ્ણ કવનો આજ ઊઠયાઁ આમ ચિત્કારી
દયા દાખવ અમારા પર ,બજાવી લે ફરજ તારી

ઘણા અભરાઈ પર સબડે,ઘણા રોતાઁ ખૂણો પકડી
સમેટી લે ,સમારી લે ,સજી લે ગ્રંથ અલમારી
*
ગઝલો

નિવેદન કરુઁ છુઁ

ફરી જખ્મ જુના સજીવન કરુઁ છુઁ
પછી રકત રંજીત નિવેદન કરુઁ છુઁ

રુઝાયા જખમનુઁ હુઁ છેદન કરુઁ છુઁ
રસામૃત ઝરે, પી જવા મન કરુઁ છુઁ

કલાકારનો જીવ નવરો કરે શુઁ
હુઁ સૌઁદર્યને પણ સુશોભન કરુઁ છુઁ

વિચરતો નથી ફકત વૃઁદાવનોમા
રઝળપાટ પણ હુઁ વનેવન કરુઁ છુઁ

નનામી સમા મૌન_મંચે બિરાજી
વિવાદી સભાનુઁ સમાપન કરુઁ છુઁ

અગમ “
હદ નથી

જિઁદગીની યાતનાને હદ નથી
મોતને પણ તો જરી ફૂરસદ નથી

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી
વૈદ! તારી ભાવના ભગવદ નથી

વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાઁ હુઁપદ નથી

જીવવુઁછે સ્વર્ગને રટવુઁ નથી
પૃથવીની ઓળઁગવી સરહદ નથી

કવ્યમય વાણી અગમની છે છતાઁ
એટલો એનો વિષય રસપદ નથી

*અગમ કોસઁબવી

પરખાયો નથી

ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છુઁ ખરીદાયો નથી

પાનખર વેળાયે પડકાયો નથી
ને વસંતી વાયરે વાયો નથી

કમળ કાદવમાઁ ખીલે છે તેમ હુઁ
ખૂબ મરડાયો છુઁ ખરડાયો નથી

લાખમાઁ એકજ’’ અગમ’ હોવા છતાઁ
ઓળખાયો છે એ પરખાયો નથી

પ્રેમ વૃષ્ટિમાઁ અગમ ભીઁજાય છે
રૂપ જળમાઁ એ કદી ન્હાયો નથી

*અગમ

સુવુઁ ગમે

ભીની ભીની રેતમાઁ સુવુઁ ગમે
ને લચીલા ખેતમાઁ સુવુઁ ગમે

ભૂમિ માના હેતમાઁ સુવુઁ ગમે
મોતથી થઈ બેતમાઁ સુવુઁ ગમે

સુખ નથી સુવા સમુઁ જાણ્યા પછી
સ્વપ્નનાઁ સંકેતમાઁ સુવુઁ ગમે

સ્વપ્નનાઁ સંકેત જો મળતા રહે
મોત પણ હો વેઁત માઁ, સુવુઁ ગમે

મોતના પશ્ચાત જીવન હોય તો
હો ભલે એ વેઁતમાઁ સુવુઁ ગમે

સ્વપન ફળત હોય કે ના હોય કે
સ્વપ્નનાઁ સંકેતમાઁ સુવુઁ ગમે

જિઁદગી પડખુઁ ફરે ત્યારે અગમ
કફન કેરા શ્વેતમામ સુવુઁ ગમે

*અગમ

2 Comments:

At 30 January, 2007, Anonymous Anonymous said...

વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાઁ હુઁપદ નથી

ખુબ જ સુંદર વાત...
કવિશ્રી વિશે પણ સુંદર માહિતી આપી છે...
આભાર વફાસા'બ!

 
At 04 February, 2007, Anonymous Anonymous said...

બહુ જ સરસ રચનાઓ વાંચવા મળી. મા ગુર્જરીના કેટ કેટલા સપૂતો વિશે હું અજ્ઞાન છું તેનું ભાન થયું .

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter